Sunday, 28 April 2024

પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીની અભૂતપૂર્વ સ્વાગતયાત્રા



મહામહીમ રાષ્ટ્રપતિ દ્રોપદીબહેન મુર્મુના વરદહસ્તે પદ્મ પુરસ્કાર મેળવી સુરેન્દ્રનગર પધારેલા ડો. જગદીશ ત્રિવેદીનું ઝાલાવાડના સર્વ ધર્મ અને સર્વ જ્ઞાતિના લોકોએ અભૂતપૂર્વ સન્માન કર્યું હતું. 


દીલ્હીથી વાયા તલગાજરડા થઈને પૂજ્ય મોરારીબાપુના આશીર્વાદ લઈ તા.૨૫/૪/૨૪ ગુરૂવારની સાંજે સુરેન્દ્રનગર આવેલા ડો. જગદીશ ત્રિવેદીનું ઉપાસના સર્કલ ખાતે ભવ્ય સ્વાગત થયું હતું. માલધારી સમાજે પોતાની પરંપરાગત પાઘડી પહેરાવી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. 

ત્યારબાદ તમામ જ્ઞાતિ અને ધર્મના લોકોએ સ્વયંભૂ ઠેરઠેર જગદીશ ત્રિવેદીનું સ્વાગત કર્યુ હતું. સંપૂર્ણ શિસ્ત સાથે તથા બિનરાજકીય રીતે આ સ્વાગત યાત્રા બે કલાક સુધી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. 

સુરેન્દ્રનગર- વઢવાણ સંયુક્ત નગરપાલિકાએ જગદીશ ત્રિવેદીના નિવાસસ્થાન પાસે આવેલા ચોકને ડો. જગદીશ ત્રિવેદી ચોક એવું નામ આપ્યું છે. છેલ્લે ડો. જગદીશ ત્રિવેદી ચોકમાં જગદીશ ત્રિવેદીના કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગીતના સમુહગાન સાથે આ સ્વાગત યાત્રાને વિરામ આપવામાં આવ્યો હતો. 

કોઈ બિનરાજકીય માણસના સન્માનમાં આટલી મોટી સંખ્યામાં લોકો સ્વયંભુ ઉપસ્થિત રહ્યા હોય એવી સુરેન્દ્રનગરની આ અભૂતપૂર્વ ઘટના હતી.







No comments:

Post a Comment

પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનાં “ સન્માન બદલે સેવા” સુત્રને ચરીતાર્થ કરતો ચોથો સર્વરોગ નિદાન કેમ્પ થયો*

*જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી નિમિત્તે તેમના ચાહકો દ્રારા ૧૧ ગામમાં ૧૧ સર્વરોગ નિદાન કેમ્પ કરીને અનોખું સન્માન કરવાનો મનોરથ* ——————————————————...