*જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ પુરસ્કાર*
—————————————————
*વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમીતભાઈ શાહ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ખાસ ઉપસ્થિત રહ્યા*
—————————————————
ગુજરાતના ગૌરવસમાન હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને ૨૨/૪/૨૪ ની સાંજે ભારતના મહામહીમ રાષ્ટ્રપતિ દ્રોપદીબહેન મુર્મુના વરદહસ્તે પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો છે.
આ પ્રસંગે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ઉપરાષ્ટ્રપતિ મહામહીમ જગદીપ ધનખડ તથા ગૃહમંત્રી અમીતભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જગદીશ ત્રિવેદીને ૬ માર્ચના રોજ રાષ્ટ્રપતિના વરદહસ્તે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને માત્ર ૪૭ દિવસ બાદ એમના જ વરદહસ્તે પદ્મ પુરસ્કાર મળ્યો છે. આટલા ટૂંકા ગાળામાં કોઈને મહામહીમ રાષ્ટ્રપતિના હસ્તે બે વખત સન્માન મળ્યું હોય એવી ભારતની આ પ્રથમ ઘટના છે એટલે જગદીશ ત્રિવેદી ખરા અર્થમાં ગુજરાતનું ગૌરવ છે.
જગદીશ ત્રિવેદી પદ્મ પુરસ્કાર લઈને વડાપ્રધાન મોદી પાસે ગયા તો વડાપ્રધાને પોતાના સ્થાન પરથી ઉભા થઈને શુભકામના આપી હતી અને પ્રતિભાવમાં જગદીશ ત્રિવેદીએ વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે મનકી બાત કાર્યક્રમમાં આપના મુખેથી મારો ઉલ્લેખ અને પદ્મ પુરસ્કારથી મને એટલું બધું બળ મળ્યું છે કે હું જીવનના છેલ્લા શ્વાસ સુધી સમાજસેવા કરતો રહીશ.





No comments:
Post a Comment