Saturday, 10 February 2024

પત્નીના જન્મદિવસે ટીંબીની નિર્દોષાનંદજી હોસ્પિટલને ૧૮ લાખ રુપિયાનું દાન આપતા જગદીશ ત્રિવેદી ; આ ૧૮ લાખ સાથે નિર્દોષાનંદજી હોસ્પિટલને જગદીશ ત્રિવેદીના દાનની રકમ ૫૧ લાખ થઈ





જાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક જેમને ભારત સરકારે થોડાં દિવસ પહેલા પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે એવા જગદીશ ત્રિવેદીએ પોતાના પત્ની નીતાબહેનના જન્મદિવસે ટીંબીની નિર્દોષાનંદજી હોસ્પિટલને વધું ૧૮ લાખ રુપિયાનું દાન કરેલ છે.

જગદીશ ત્રિવેદીના  પત્નીનો જન્મદિવસ ૯/૨ ના રોજ હોવાથી ૯x૨= ૧૮ લાખ રુપિયાનું દાન કરેલ છે. આ અગાઊ જગદીશ ત્રિવેદીએ હોસ્પિટલને ૩૩ લાખ રુપિયાનું દાન કરેલ હતું અને આ દાન સાથે આ હોસ્પિટલને એમના વ્યક્તિગત દાનની રકમ પ૧ લાખ પૂર્ણ થયેલ છે.

ટીંબી ગામની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની ખાસીયત એવી છે કે ભાવનગર, રાજકોટ કે સુરત જેવા શહેરોની સિવિલ હોસ્પિટલ કરતા આ ગામડાની હોસ્પિટલમાં રોજની OPD વધુ  છે , આ હોસ્પિટલમાં રોજની ૧૦૦૦થી વધું OPD અને રોજના ૩૦ થી વધુ ઓપરેશન થાય છે. 

અહીં  તમામ પ્રકારના ઓપરેશન તદ્દન મફતમાં થાય છે અને એ પણ અદ્યતન ઓપરેશન થિયેટરમાં થાય છે.

ઓપરેશ તેમજ દવાઓ સાથે જમવાનું પણ મફત

આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં દરરોજ બે લાખ રુપિયાનો ખર્ચ થાય છે. છતાં કોઈની પાસે માંગ્યા વગર દાન આવ્યા જ કરે છે એ સંતની કરુણા અને શુદ્ધ સેવાનો પ્રતાપ છે.



પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનાં “ સન્માન બદલે સેવા” સુત્રને ચરીતાર્થ કરતો ચોથો સર્વરોગ નિદાન કેમ્પ થયો*

*જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી નિમિત્તે તેમના ચાહકો દ્રારા ૧૧ ગામમાં ૧૧ સર્વરોગ નિદાન કેમ્પ કરીને અનોખું સન્માન કરવાનો મનોરથ* ——————————————————...